Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

નિર્દેશક ઈમ્તિયાઝ અલી અને એકતા કપૂર વચ્ચે અણબનાવ

મુંબઇ:  ફિલ્મ સર્જક એકતા કપૂર અને ટોચના ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી વચ્ચે હાલ અણબનાવ થતાં એેકમેકની સામે પણ જોતાં નથી એવી માહિતી મલી હતી. વાત એવી છે કે ઇમ્તિાઝ અલીના ભાઇ શાદ અલીએ એકતા માટે ફિલ્મ લૈલા મજનુ બનાવી છે. ફિલ્મના પ્રમોશન અંગે એકતાએ કરેલાં સૂચનોથી ઇમ્તિયાઝ નારાજ થયા હતા એવી માહિતી મળી હતી. પોેતે કંપનીની બોસ છે હકીકત પુરવાર કરવી હોય એમ એકતાએ ફિલ્મના પ્રમોશન માટે જે વ્યૂહ રચ્યો હતો એણે અમલમાં મૂક્યો હતો. દેખીતી રીતેજ ઇમ્તિયાઝના મનમાં પ્રમોશન માટેની યોજના અલગ પ્રકારની હતી. એકતાએ યોજનાને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢી હતી. એકતા ફિલ્મનું ધામધૂમથી પ્રમોશન કરવા માગે છે જ્યારે ઇમ્તિયાઝ હળવે હાથે પ્રમોશન કરવાના મતના છે. જો કે ઇમ્તિયાઝ એમ પણ માને છે કે પ્રકારના સર્જનાત્મક મતભેદોથી પણ કામ ઘણીવાર દીપી ઊઠતું હોય છે. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે બંને એકબીજાની સામે પણ જોતાં નથી. લૈલા મજનુ ૨૪ ઑગષ્ટે રજૂ કરવાની છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એકતા અને ઇમ્તિયાઝ બંનેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર નથી. ખરેખર તો સમય વીતી રહ્યો છે અને પ્રમોશન બનતી ત્વરાએ શરૃ થઇ જવું જોઇએ. ફિલ્મમાં બંને મુખ્ય કલાકારો નવાં છે અને લૈલા મજનુ મોડર્ન સમાજને અનુરૃપ બનાવવામાં આવી છે એમ કહેવાય છે.

(3:43 pm IST)