Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ત્રણ ફિલ્મોની રાહ જોઇ રહી છે વાણી

કોરોનાના કપરા સમયમાં પણ અભિનેત્રી વાણી કપૂર જરાય હતાશ થઇ નહોતી. તેણે બીજા લોકોને પણ પોઝિટિવ રહેવા કહ્યું હતું. તે કહે છે પરિસ્થિતિ વિકટ ભલે હોય પણ આપણે હકારાત્મકતાને વળગી રહેવું જરૂરી હોય છે. ખરાબ સમય બહુ જલ્દી જતો રહેવાનો છે. આવા સમયે લોકોએ એક બીજાને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવું પણ જરૂરી હોય છે. વાણી કહે છે હું લોકો એકબીજાના સાથની બહાર નીકળવા આગળ વધ્યા છે. અમુક સમયે જે જોયું એ ખુબ કરૂણાસભર લાગ્યું છે. આ ખરેખર અસાધારણ છે. આપણે નકારાત્મકતા ધરાવતા વિચારોમાંથી બહાર આવવાનું છે, તેવા પ્રયાસ કરવાના છે. આપણે જવાબદાર બનવાનું છે અને ધૈર્ય, શ્રધ્ધા જાળવી રાખવાની છે. વાણી પોતાની ત્રણ ફિલ્મો બેલબોટમ, શમશેરા અને ચંડીગઢ કરે આશિકી રિલિઝ થવાની રાહ જોઈ રહી છે, જેમાં બેલબોટમ અને ચંડીગઢ કરે આશિકીનું શુટીંગ ગયા વર્ષે મહામારીમાં થયું હતું.

(10:21 am IST)