Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સપનુ પુરૂ થશે જ, અંકિતાને વિશ્વાસ

ટીવી સિરીયલો થકી ઓળખ ઉભી કર્યા પછી બોલીવૂડ સુધી પહોંચી ગયેલી અભિનેત્રી અંકિતા લોખંડે કેટલાક સમયથી તેના બોયફરેન્ડ વિક્કી જૈનને કારણે ચર્ચામાં હતી. લોકડાઉનમાં અંકિતા સોશિયલ મિડીયા થકી ચાહકો સાથે સતત જોડાયેલી રહી છે. તેણે તાજેતરમાં અલગ-અલગ તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તેના હાથમાં સગાઇની અંગુઠી જોવા મળતાં ચાહકો અટકળ લગાવી રહ્યા છે કે અંકિતાએ લોકડાઉનમાં બોયફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી છે. જો કે અંકિતાએ લગ્ન વિશે વાત નીકળતાં કહ્યું હતું કે હજુ તો મારે ખુબ જ કામ કરવાનું છે, લગ્ન પહેલા મારે ઘણું મેળવવાનું છે. હું લગ્ન કરીશ, પણ એ પહેલા એક એવી ફિલ્મ કરીશ જેમાં ફકત હું એકલી મુખ્ય હિરોઇન હોઉ. હું એવો રોલ નિભાવવા ઇચ્છુ છું કે જેના માટે લોકો મને યાદ કરે. હું પ્રતિભાશાળી અને મહેનતુ છું, મને વિશ્વાસ છે કે મારું આ સપનુ પુરૂ થશે જ. અંકિતા અગાઉ સુશાંતસિંહ રાજપૂત સાથે લિવ ઇનમાં રહી હતી. પણ બાદમાં બંને અલગ થઇ ગયા હતાં. મણિકર્ણિકા અને બાગી-૩ કરી ચુકેલી અંકિતા હવે પછી એકશન થ્રિલર તોરબાઝમાં સંજય દત્ત, નરગીસ ફખરી સાથે જોવા મળશે.

(9:55 am IST)