Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

બજેટના લીધે જ આલિયા-રણબીરની ફિલ્મ અટવાઇ

યે જવાની હે દિવાની બાદ વધુ એક ફિલ્મ બનાવશે : ફિલ્મી શુટિંગને હાથ ધરવામાં સફળતા મળી રહી નથી

મુંબઇ,તા. ૧૬ : યે જવાની હે દિવાની જેવી સફળ ફિલ્મ બનાવી ચુકેલા નિર્દેશક અયાન મુખર્જી હવે પોતાના નજીકના મિત્ર રણબીર કપુરની સાથે મળીને ફરી એકવાર ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જો કે હાલમાં તેમની આશા પર પાણી ફરી વળ્યુ છે. કારણ કે ફિલ્મના બજેટને લઇને તકલીફ પડી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે અયાન રણબીરની સાથે ડ્રેગન નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જો કે ફિલ્મનુ બજેટ વધારે હોવાના કારણે ફિલ્મ રોકી દેવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં હાથ ધરવમાં આવ્યુ નથી. અયાન રણબીરની સાથે એક સુપરહિરો ફિલ્મ બનાવવાની યોજના પહેલા અયાન ધરાવતા હતા. જો કે હવે રણબીર કપુર સંજય દત્તની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ  જોરદાર રીતે ચાલી રહ્યુ છે. સંજય દત્તની લાઇફ પરની ફિલ્મમાં વધારે ધ્યાન રણબીર હાલમાં આપી રહ્યુ છે. જેથી ડ્રેગન ફિલ્મ પર કામ હાલમાં અટવાયુ છે. હવે એવા હેવાલ આવી રહ્યા છે કે ભારે બજેટના કારણે ફિલ્મનુ શુટિંગ હાલમાં હાથ ધરવામાં આવી રહ્યુ નથી. સુપરહિટ ફિલ્મના કારણે ડ્રેગન પર એક્શન સીન પર વધારે ખર્ચ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ  થોડાક સમય પહેલા શરૂ કરવામાં આવ્યુ હતુ જો કે હવે શુટિંગ રોકી દેવામાં આવ્યુ છે. જુદા જુદા અન્ય કારણોસર પણ  ફિલ્મને રોકવામા આવી રહી છે. ફિલ્મમાં રણબીર કપુર અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યા છે.બજેટના કારણે આલિયા અને રણબીર કપુર કોઇ વાત કરી રહ્યા નથી. બીજી બાજુ અયાન ફિલ્મને આગળ વધારી દેવા માટે ઉત્સુક છે. અયાન અને રણબીર કપુર વચ્ચેની  મિત્રતા બોલિવુડમાં જાણીતી રહી છે.આલિયા ભટ્ટ બોલિવુડમાં નવી  આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. રણબીર કપુર હાલમાં બોલિવુડમાં સૌથી વ્યસ્ત અને લોકપ્રિય  બોલિવુડ સ્ટાર પૈકી એક છે.

(12:11 pm IST)