Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

તો હું દુનિયાની સોૈથી ખુશ છોકરી હોઇશઃ કરીના

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી પોતાની રિલેશનશીપને કારણે સતત ચર્ચામાં રહે છે. હવે આ બંને લગ્ન કરી લેશે તેવી વાતો વહેતી થઇ છે. તાજેતરમાં રણબીરની પિત્રાઇ બહેન કરીના કપૂરને કરણ જોહરે પુછ્યું કે શું તે કદી વિચાર્યુ હતું કે આલિયા ભટ્ટ તારી ભાભી બનશે? ત્યારે કરીનાએ પળનો પણ વિલંબ કર્યા વગર કહ્યું હતું કે જો આમ થશે તો હું દુનિયાની સોૈથી ખુશ છોકરી ગણાઇશ. આલિયાએ કહ્યું હતું કે સાચું કહું તો હજુ સુધી મેં આ વિશે કંઇ વિચાર્યુ નથી, અને ના તો હમણા કંઇ વિચારવા ઇચ્છુ છું. જ્યારે સમય આવશે ત્યારે આ અંગે વિચારીશ. કરણે કહ્યું હતું કે આલિયા અને રણબીરના લગ્ન થશે તો આલિયાની કારકિર્દી પણ ખુબ શાનદાર હશે. આલિયાએ કહ્યું હતું કે કરીનાએ પોતાની કારકિર્દીમાં જે કર્યુ છે તે ખુબ મોટી બાબત છે અને તેમાંથી શિખવા મળે છે. તે હમેંશા મારા માટે પ્રેરણા રહી છે. કોઇપણ અભિનેત્રી લગ્ન કરે છે તો તેની કારકિર્દી ધીમી પડી જાય છે. પરંતુ કરીનાએ આ માન્યતા તોડી નાંખી છે. આલિયા અને કરીના ફિલ્મ તખ્તમાં સાથે જોવા મળશે.

(10:06 am IST)