Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કુલ્ફીનો રોલ આકૃતિની જગ્યાએ તુનિષા નિભાવશે

ટીવીના ખુબ જાણીતા શો 'કુલ્ફી કુમાર બાજેવાલા'માં કુલ્ફીનો રોલ નિભાવી રહેલી બાળ કલાકાર આકૃતિ શર્મા આ શો છોડી રહ્યાની ખુબ ચર્ચા થઇ રહી છે. તેની જગ્યાએ  તુનિષા શર્મા આ રોલ નિભાવશે. આ શોમાં  લિપ આવશે અને એ કારણે હાલમાં કુલ્ફીનો રોલ નિભાવતી આકૃતિને શો છોડવો પડશે. તુનિશા શર્મા મોટી કુલ્ફીનો રોલ નિભાવતી જોવા મળશે. આકૃતિના માતા ડિમ્પલ શર્માએ કહ્યું હતું કે આકૃતિને શોમાં આવી રહેલા લીપને કારણે શો છોડવો પડશે તેવું બે મહિના પહેલા અમને કહેવાયું હતું. પરંતુ એ પછી લીપ સ્થગીત કરવામાં આવ્યો હતો. એવી પણ ચર્ચા વહેતી થઇ હતી કે શોમાં સિકંદશ સિંહ ગીલનો રોલ નિભાવી રહેલો મોહિત મલિક પણ શોની કહાનીને કેટલાક વર્ષો માટે આગળ વધારવામાં આવતી હોવાથી શો છોડી દેવાનો છે. જો કે હજુ આ વિશે કોઇ નક્કર વાત સામે આવી નથી. મોહિતે કહ્યું હતું કે હાલ તો શોમાં લીપ આવી રહ્યાની અફવા છે, આ બાબતે અમને કોઇ માહિતી નથી. જો પોતે શો છોડશે તો સોૈને જાણ કરશે.

(10:09 am IST)