Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

પોતાની બાયોપિક બનાવશે કંગના રનૌત

મુંબઈ:  કંગના રનૌત હાલ 'મણિકર્ણિકા:ધ ક્વીન ઓફ ઝાંસીમાં પોતાની પરફોર્મ્સ ઉપરાંત વિવાદના કારણે પણ ચર્ચામાં રહે છે. કંગના બોલીવૂડના માંધાતાઓ પર ક્રોધે ભરાઇ છે. તેને બોલીવૂડના અગ્રણી લોકોનું તેની સાથે વર્તણૂક સાવકા જેવું લાગી રહ્યું છે. તેની ફિલ્મની સ્ક્રિનિંગ ન આવવા માટે તેમજ તેની ફિલ્મના વખાણ ન કરવા માટે આમિર અને આલિયા પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કંગનાએ કહ્યું હતું કે, તે પોતાની બાયોપિકનું દિગ્દર્શન કરવાની છે. તે પોતાની જિંદનીને રૂપેરી પડદે  તાદ્દશ કરશે. આ ફિલ્મને બાહુબલીના સ્ક્રિપ્ટ રાઇટર કેવી વિજેન્દ્ર પ્રસાક લખશે અને કંગના દિગ્દર્શન કરશે. તેણે વધુમાં જણાવ્યુ ંહતુ ંકે, મારો આગલો ડાયરેકટલ પ્રોજેક્ટ મારી જિંદગી પર આધારિતનો છે. જોકે આ બનાવીને હું કોઇ પાત્રને સારા-નરસા દેખાડવાનો પ્રયોસ નહીં હોય, પરંતુ મારી જીવનકથની હશે, જે મારા દિલની નજીક છે. તેણે વધુમાં જણાવ્યુ ંહતુ ંકે, મારી આસપાસ ઘણા લોકો એવા છે જેમને પ્યાર કરે છે પરંતુ મને જજ કરી શકતા નથી. આ ફિલ્મમાં મારા જીવનના ચડાવ-ઉતાર જોવા મળશે. કહેવાય છે કે, કંગનાની બાયોપિકમાં હૃતિક રોશન, અધ્યયન સુમન, આદિત્ય પંચોલી, કરણજોહરના પાત્ર પણ જોવા મળશે.

(5:04 pm IST)