Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

દીકરી વળાવ્યાંનું દુઃખ તો એક બાપ જ સમજી શકે : પુત્રીના લગ્ન બાદ 'જેઠાલાલે' એ શેર કર્યા ફોટા : લખી ભાવુક પોસ્ટ

ફિલ્મો અને ગીતો પાસેથી એ લાગણીનો આઇડિયા લગાવી શકો છો પરંતુ આખરે દીકરીના લગ્ન એક અભૂતપૂર્વ ઘટના: દીકરીને દુલ્હન તરીકે જોઈને ભાવુક થઈ ગયા

મુંબઈ :તાજેતરમાં તારક મહેતા સિરિયલના અભિનેતા દિલીપ જોશીએ દીકરીના લગ્ન કર્યા હતા જેના ફોટો તેમણે Instagram પર શેર કર્યા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા દિલીપ જોશીની દીકરી નિયતિ જોશીએ ગયા અઠવાડિયે પ્રભુતામાં પગલાં પાડયા હતા. આ ઘટનાના ઘણા ફોટોઝ અને વિડિયોઝ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા અને હવે સોશ્યલ મીડિયા પર ફરી એક ન્યૂઝ વાયરલ થયા છે.
દિલીપ જોશીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી જેમાં તેમણે કપલનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો સાથે બીજા એક ફોટોમાં કપલ લગ્નની પ્રતિજ્ઞા લેતા નજરે ચડી રહ્યા છે. દિલીપ જોશી અને તેમની ધર્મપત્ની તેઓની દીકરીને દુલ્હન તરીકે જોઈને ભાવુક થઈ ગયા હતા. સાથે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તેમની દીકરીના ગાલ પર હાથ રાખી વ્હાલ કરતાં હોય તેવો ફોટો જોવા મળ્યો હતો

આ સાથે તેમણે એક ઈમોશનલ કેપ્શન લખી હતી જેમાં તેમણે કૃતજ્ઞતા સાથે લખ્યું હતું કે તમે ફિલ્મો અને ગીતો પાસેથી એ લાગણીનો આઇડિયા લગાવી શકો છો પરંતુ આખરે દીકરીના લગ્ન એક અભૂતપૂર્વ ઘટના છે. દિલીપ જોશીએ આ સાથે પરિવારમાં તેમનાં જમાઈને નવા સદસ્ય તરીકે આવકાર્ય હતા અને  દીકરા જેવુ સંબોધન કર્યું હતું. તેમણે વર વધુ બંનેને અભિનંદન પાઠવ્યા હતા

દીકરીના લગ્નની જેઠાલાલને એટલી ખુશી હતી કે સંગીતમાં તેઓ ઢોલ પર મન મૂકીને નાચ્યા હતા. સોશ્યલ મીડિયા પર આ ક્લિપ જોરદાર વાયરલ થઇ રહી છે. નિયતિ અને યશોવર્ધન પણ દાંડિયા રમતાં નજર આવી રહ્યાં છે. 

 

નિયતિ જોષીના લગ્ન જેની સાથે થયા છે તેનું નામ યશોવર્ધન મિશ્રા છે. 4 વર્ષથી નિયતિ અને યશોવર્ધન એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને કોલેજમાં પણ સાથે જ ભણી રહ્યાં હતા. તેમના લગ્ન પહેલા જ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહોતા પરંતુ હવે આખરે ધામધૂમથી તેઓના લગ્ન થયા હતા. 

અભિનેતા દિલીપ જોશીની વાત ખૂબ સાચી અને સમજદારીભરી છે. કારણ કે એક દીકરી વળાવ્યાંનું દુઃખ તો એક બાપ જ સમજી શકે છે.

(9:02 pm IST)