Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

આદિત્ય ચોપરાની ફિલ્મમાં રણબીર કપૂરની ઓપોઝીટ હશે વાણી કપૂર

મુંબઇ:  વાણી કપૂર રણબીર કપૂર સાથે રૃપેરી પડદે જોડી જમાવી રહી છે. આદિત્ય ચોપરાની આગામી ફિલ્મમાં રણબીર સાથે વાણી કપૂર જોવા મળેતેવી શક્યતા છે. જોકે વાણી તેમાં ક્યું પાત્ર ભજવશે તેની જાણકારી મળી નથી. '' આ ફિલ્મમાં રણબીર કપૂર ડકેતનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે સંજય દત્ત આ  ફિલ્મમાં ખૂંખાર વિલનની ભૂમિકામાં જોવા મળશે.હવે આ ટીમમાં વાણી કપૂરનો પણ સમાવેશ થયો છે. આ પૂર્વે પણ રાણીએ આદિત્ય ચોપરાની બેફિકરેમાં કામ કર્યું છે,તેમ સૂત્રે જણાવ્યું હતું. રણબીર કપૂર આ ફિલ્મમાં ધાડપાડુની ભૂમિકા ભજવી રહ્યો છે. આ એક એકશન ફિલ્મ હોવાથી રણબીર આ ફિલ્મ માટે ઉત્સાહિત છે. જોકે વાણી રણબીરની ઓપોઝિટ ક્યા પાત્રમાં જોવા મળશે તે હજી જાહેર થયું નથી.
 

(4:42 pm IST)