Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

કોરોના વાયરસને કારણે આમ જનતાને ઝી સિને એવોર્ડ્સમાં નો એન્ટ્રી

મુંબઈ,તા.૧૪ :  ઝી સિને અવોડર્સ ૨૦૨૦ને  કોરોના વાઇરસને કારણે લોકો માટે કેન્સલ કરવામાં આવ્યો હતો. માત્ર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવા માટે એનુ શૂટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું હતું. વાઇરસને કારણે લોકોની ભીડને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના દ્વારા સ્ટેટમેન્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આ શોનું પ્રસારણ ર૮ માર્ચે સાંજે સાડાસાત વાગ્યે ઝી ટીવી અને ઝી સિનેમા પર થવાનું છે. જોકે લોકો આ શોને ZEES પર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થાય એ પહેલાં જોઈ શકશે. આ શોના અસોસિએટ્સ અને પાર્ટનર્સ બાંહેધરી આપી છે કે આ શોમાં સામેલ થવા માટે જે પણ લોકોએ ટિકિટ ખરીદી હતી તેમને તેમના પૈસા પણ વહેલાસર પાછા આપવામાં આવશે.

(11:35 am IST)