Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વિશાળ કેનવાસ પર રજૂ થશે ફિલ્મ પાણીપત

મુંબઇ:  મોખરાના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરે કહ્યું હતંુ કે મારી આગામી ફિલ્મ પાણીપત વિશાલ કેનવાસ પર રજૂ કરવાની અમારી મહત્ત્વાકાંક્ષી યોજના છે.'આ એક મેગાબજેટ અને મલ્ટિસ્ટાર કહેવાય એવી ફિલ્મ છે. અમે એને વિરાટ ફલક પર રજૂ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવીએ છીએ' એમ આશુતોષે મિડિયા સાથે એક ઇવેન્ટમાં બોલતાં કહ્યું હતું. જો કે અર્જુન કપૂરની વિપુલ શાહ સર્જિત ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડ બોક્સ ઑફિસ પર નબળી પડી ત્યારબાદ આ ફિલ્મના બજેેટમાં થોડો કાપ મૂકવો પડયો હોવાની વાતો વહેતી થઇ હતી. જો કે આશુતોષે આ વાતને રદિયો આપતાં કહ્યું હતું આ તો નરી અફવા છે. મારી ફિલ્મ મેગાબજેટ જ છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને સંજય દત્ત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.   અત્યાર અગાઉ આશુતોષે લગાન, જોધા અકબર વગેરે હિટ ફિલ્મો આપી હતી. જો કે એની છેલ્લી ફિલ્મ મોહેં જો ડારો રિતિક રોશન જેવો મોખરાનો હીરો હોવા છતાં બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી.હાલ મોખરાના આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઇ એન ડી સ્ટુડિયોમાં પૂણેના શનિવારવાડાનો ભવ્ય સેટ તૈયાર કરી રહ્યા છે. 

(4:03 pm IST)