Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

અક્ષય કુમારની સૂર્યવંશી હવે ૩૦ એપ્રિલના આવશે

મુંબઇ તા. ૧૩: બોલીવૂડની અનેક ફિલ્મો કોરોનાને કારણે અટકી પડી હતી. આ પૈકીની અનેક બનીને તૈયાર પણ થઇ ગઇ છે અને અમુકનું શુટીંગ ચાલી રહ્યું છે. સોૈથી વધુ જે ફિલ્મોની રાહ જોવાઇ રહી છે તેમાં અક્ષય કુમાર અભિનીત રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' પણ છે. આ ફિલ્મની રિલીઝ તારીખ એક વર્ષથી બદલતી રહી છે. હવે આ ફિલ્મ બીજી એપ્રિલે રિલીઝ થાય તેવી શકયતા છે.

જાણકારો કહે છે કે એપ્રિલની ત્રીસમી તારીખે આ ફિલ્મ આવશે. રોહિત શેટ્ટી આવતીકાલે ૧૪મી માર્ચના રોજ પોતાનો જન્મદિવસ ઉજવશે અને એ સાથે ફિલ્મનું ટીઝર રિલીઝ કરશે. જેમાં ફિલ્મ કયારે રિલીઝ થશે તેની તારીખ પણ હશે. અક્ષય કુમાર ઉપરાંત ફિલ્મમાં સિંઘમ અજય દેવગણ અને સિમ્બા રણવીર સિંહ પણ ખાસ ભુમિકામાં જોવા મળશે. કેટરીના લાંબા સમય પછી ફરી અક્ષય સાથે આવી રહી છે.

(3:23 pm IST)