Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

હું મારા તમામ નિર્ણય જાતે જ લવ છું: અનુષ્કા શર્મા

મુંબઇ:  મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે હું સ્વતંત્ર મિજાજની વ્યક્તિ છું અને મારા કામના તમામ નિર્ણયો હું જાતે લઉં છું. મારા કામમાં કોઇને માથું મારવા દેતી નથી.'હું મારી વ્યાવસાયિક બાબતો અને અંગત બાબતોની કદી ભેળસેળશ થવા દેતી નથી. મારા કામના નિર્ણયો હું જાતે લઉં છું અને વિરાટના કામના નિર્ણયો એ પોતે જાતે લે છે. અમે એકબીજાના કામમાં માથુંમારતા નથી' એમ એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ કહ્યું હતું.ઔએણે વધુમાં કહ્યું કે હું મારા દરેક પ્રોજેક્ટને એક પડકાર તરીકે સ્વીકારતી રહી છું. મને અભિનય ક્ષેત્રે ૧૪ વર્ષ થયાં. મારા દરેક પ્રોજેક્ટને મેં એક નવા પડકાર તરીકે સ્વીકારીને એને માટે પૂરતી મહેનત કરી છે. વ્યાવસાયિક બાબતો અને મારા અંગત જીવનની બાબતોને હું કદી ભેગી થવા દેતી નથી. અંગત બાબતો અંગત રહે છે અને વ્યવસાય વ્યવસાય રહે છે. બંને એકમેકથી તદ્દન અલગ બાબતો છે. હું એ બંનેને ભેગા કરીને ટેન્શન વધારવામાં માનતી નથી. મને કોઇ રોલની ઑફર થાય ત્યારે હું એની તમામ શક્યતાઓ તપાસીને પછી એ રોલ સ્વીકારવો કે ન સ્વીકારવો એ નક્કી કરું છું.

(5:56 pm IST)