Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ઇશ્કબાજની અનિકા... સુરભી ડોકટર બનીને ટીવી પરદે આવશે

ટીવી શો ઇશ્કબાજમાં અનિકાનો રોલ નિભાવનારી સુરભિ ચંદના હવે ટીવી પરદે ડોકટર બનીને આવી રહી છે. તાજેતરમાં શો 'સંજીવની-૨'નું પોસ્ટર રિલીઝ કરાયું છે. જેમાં ગુરદીપ કોહલી, મોહનીશ બહલ, સાંતની ઘોષ અને નમિત ખન્ના દેખાય છે. આ વખતે સુરભિ આ શોમાં નમિત ખન્ના સાથે રોમાન્સ કરતી જોવા મળશે. સુરભિએ  સંજીવની-૨નું શુટીંગ શરૂ કરી દીધુ છે. શુટીંગનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સાયંતની ઘોષ અન્ય કલાકાર સાથે અજીબ ચહેરો દેખાડતી જોવા મળે છે. વિડીયોમાં સુરભિ પણ છે તેનો અંદાજ પણ ખુબ અલગ છે. આ શો માટે તેણે હેરસ્ટાઇલ પણ બદલી છે. ટીવી પર સંજીવની શો ૨૦૦૨માં શરૂ થયો હતો. ૨૦૦૫માં બંધ થઇ ગયો હતો. હવે નવી સિઝન ઓગષ્ટના પહેલા અઠવાડીયામાં શરૂ થશે. સતર વર્ષ પછી ફરીથી આ શો આવી રહ્યો હોઇ ચાહકો ઉત્સાહિત બન્યા છે.

 

(9:42 am IST)