Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

મારા માટે આ તક મળવી એ સન્માનની વાત છેઃ પ્રણીલી

અભિનેત્રી પ્રણીલી રાઠોડ હાલમાં યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં અક્ષરાનું પાત્ર ભજવી રહી છે. ૨૦૦૯થી ચાલી રહેલા આ શોએ હંમેશાં દર્શકોને મનોરંજન પુરું પાડ્યું છે. પ્રણીલીએ કહ્યું કે એક સફળ શોને આગળ લઇ જવાની તક મળવી એ સન્માનની વાત છે. હું જે શો જોઈને મોટી થઈ હતી એમાં હું આજે કામ કરી રહી છું. હિના ખાનને પ્રમ કરવાથી લઈને આ શોનું મહત્ત્વ સમજવા સુધીની વાતને હું શબ્દોમાં કહી શકું એમ નથી. હું આ પાત્ર સાથે તરત જ કનેકટ થઇ ગઇ હતી. અસલી જિંદગીમાં પણ હું અક્ષરા જેવી જ છું. હું મારા પરિવારને ખુબ પ્રેમ કરુ છું. તેઓ મારા સારા-ખરાબ સમયમાં હંમેશાં મારી પડખે ઊભા રહ્યા છે. લવ ટ્રાયેન્ગલ કહાનીને વધુ રસપ્રદ બનાવે છે. જોકે મારુંં માનવું છે કે કોઈ પણ વસ્તુ કે વ્યકિત  પ્રત્યેનો પ્રેમ હંમેશાં પ્યોર હોવો જોઈએ.

(10:15 am IST)