Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ત્યારે કામ્યા પંજાબી રડી પડી હતી

ટીવી પરદે અનેક શો અને રિયાલીટી શોમાં કામ કરી ઓળખ બનાવનારી અભિનેત્રી કામ્યા પંજાબી હવે રાજકારણમાં એન્ટ્રી કરવાની છે. કામ્યા પંજાબી હંમેશા રાજકારણનો ભાગ બનવા ઇચ્છતી હતી. જો કે કામ અને વ્યસ્ત શેડ્યુલને કારણે તે આમ કરી શકી ન હતી. હવે તેણીની લોકપ્રિય ટીવી સીરીયલ શકિત-અસ્તિત્વ કે એહસાસ કી બંધ થઈ ગઈ છે. આથી તેણે હવે મોટું પગલું ભરવાનું નક્કી કર્યું છે.  ટુંક સમયમાં પોતાનો નિર્ણય જાહેર કરવાની છે. કામ્યા પંજાબીએ તેના શો શકિતના છેલ્લા શૂટિંગ દિવસે કહ્યું હતું કે જ્યારે ડિરેકટરે તેને પેકઅપ કહ્યું ત્યારે તે રડી પડી હતી. પેકઅપ થયા પછી પણ કલાકો સુધી સેટ પર બેસી રહી હતી. શો પૂરો થયાના થોડા દિવસો બાદ પણ તે ખૂબ જ ખરાબ અનુભવી રહી હતી. કામ્યા પંજાબી માને છે કે શકિત સિરિયલ એક એવી બ્રાન્ડ છે જેની શરૂઆત એક સુંદર નોંધથી થઈ હતી. તેણીએ કહ્યું હતું કે હવે ઘણા શો તેમની બીજી સીઝન સાથે પાછા આવી રહી છે, તેથી તેણી માને છે કે શકિત પણ ટૂંક સમયમાં પાછી આવશે.

(10:15 am IST)