Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

બીજા કામ માટે સમય નથીઃ શ્રધ્‍ધા

ટીવી પરદાની ખુબસૂરત અભિનેત્રી શ્રધ્‍ધા આર્યાના અસંખ્‍ય ચાહકો છે. કુંડલી ભાગ્‍ય સિરીયલથી શ્રધ્‍ધાને ખુબ નામના મળી છે. ઝલક દિખલા જાની ૧૦મી સિઝનમાં શ્રધ્‍ધા પણ જોવા મળશે એવી વાતોનું તેણે ખંડન કર્યુ છે. શ્રધ્‍ધાએ કહ્યું હતું કે આ સેલિબ્રિટી ડાન્‍સ રિયાલીટી શોમાં હું સામેલ નથી. કરણ જોહર, માધુરી દિક્ષીત નેને અને નોરા ફતેહી આ શોના જજ છે.આ શોમાં રૂબીના દિલૈક, શિલ્‍પા શિંદે, અલી અસગર, નિયા શર્મા, પારસ કલનાવત, ધીરજ ધૂપર જેવા ઘણા એક્‍ટર્સ જોવા મળશે. આ શો માટે શ્રદ્ધા આર્યાનું નામ પણ ચર્ચામાં હતું. તે કુંડલી ભાગ્‍યમાં છેલ્લાં પાંચ વર્ષથી મુખ્‍ય પાત્ર ભજવી રહી છે. ધીરજ ધૂપર સાથેની તેની જોડીને ઘણી પસંદ કરવામાં આવી છે. ધીરજ પણ ઝલક દિખલા જા ૧૦માં જોવા મળી રહ્યો હોવાથી શ્રદ્ધાનું નામ પણ ચર્ચામાં હતું. શ્રધ્‍ધા કહે છે મહિનામાં ૨૪ દિવસ કુંડલી ભાગ્‍યને આપ્‍યા બાદ ફક્‍ત ૬ દિવસ મારા માટે અને મારા લગ્નજીવન માટે બચે છે. આ કારણે હું બીજુ કામ કરી શકુ તેમ નથી.

(10:38 am IST)