Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ફિલ્મ નિર્દેશનનું કામ કરવા ઇચ્છે છે ઐશ્વર્યા રાય

બોલીવૂડની ટોચની હિરોઇનો પરણી જાય અને મા બની જાય પછી પણ સક્રિય રહે છે અને ચાહકોની સંખ્યા જાળવી રાખે છે. એશ્વર્યા રાય અને કરીના કપૂર આવી જ હિરોઇન છે. ઐશ્વર્યાની ફિલ્મ ફન્નેખાન રિલીઝ થઇ ગઇ છે અને દર્શકોને ગમી પણ છે. હવે અભિનય ઉપરાંત તે નિર્દેશનમાં પણ હાથ અજમાવશે. ઐશ્વર્યાએ કહ્યું હતું કે તેના આ કામ માટે પતિ અભિષેકે પણ ઉત્સાહ વધાર્યો છે.

ઐશ્વર્યાએ કહ્યું હતું કે જ્યારે પણ તે નિર્દેશનનું કામ શરૂ કરશે ત્યારે તેમાં ગળાડુબ થઇજશે. જો કે બચ્ચન પરિવારમાં અત્યાર સુધી કોઇએ નિર્દેશનના ક્ષેત્રમાં હાથ અજમાવ્યો નથી. હવે ઐશ્વર્યા કંઇક નવું કરશે. ઐશ્વર્યાની દિકરી મોટી થઇ ગઇ હોવાથી તે સતત નવી ફિલ્મો પણ કરી રહી છે. પતિ અભિષેક સાથેની ગુલાબ જામુન પણ હવે તે કરશે.

(9:51 am IST)