Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

રાજકુમાર રાવ- નુસરત ભરુચાની ફિલ્મ 'તુર્રમ ખાન'માં મોટો ફેરફાર : ટાઈટલ બદલી નાખ્યું :નવું નામ છલાંગ

નુસરત ભરૂચાએ લખ્યું ,,એજ ટીમ, એજ ફિલ્મ, એજ રિલીઝ ડેટ… ફક્ત એક નવું નામ- છલાંગ!

મુંબઈ : બૉલીવુડ અભિનેતા રાજકુમાર રાવની આગામી ફિલ્મમાં મોટો ફેરફાર કરાયો છે તેમની આગામી ફિલ્મનું ટાઈટલ બદલાઈ ગયુ છે. આ તો દરેક લોકો જાણે છેકે, રાજકુમારના અપકમિંગ પ્રોજેક્ટમાં તુર્રમ ખાન ફિલ્મ શુમાર છે. તેની આ ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યુ છે. આ ફિલ્મનું નવું ટાઈટલ 'છલાંગ' કરી દેવામાં આવ્યુ છે.

 અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા આ વાત શેર કરી છે  આ ફિલ્મમાં રાજકુમરા રાવની સાથે નુસરત ભરૂચા લીડ રોલમાં દેખાશે. નુસરતે લખ્યુ છેકે, ' એજ ટીમ, એજ ફિલ્મ, એજ રિલીઝ ડેટ… ફક્ત એક નવું નામ- છલાંગ! 31 જાન્યુઆરી 2020એ થિએટરમાં મળીએ'

   હંસલ મહેતા દ્વારા નિર્દેશિત અને અજય દેવગન, લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત 'છલાંગ' આવતા વર્ષે 31 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં મોહમ્મદ જીશાન અયૂબ ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ હંસલની સાથે રાજકુમારની છઠ્ઠી ફિલ્મ છે. આ બંને જોડી આની પહેલાં શહીદ, સિટી લાઈટ્સ, અલીગઢ, ઓમેર્તા અને વેબ સીરીઝ બોસ ડેડ/ અલાઈવ જેવા પ્રોજેક્ટસમાં સાથે કામ કરી ચૂક્યા છે.

(7:20 pm IST)