Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

સારી કહાની ધરાવતી ફિલ્મો જ કરવી છે જોન અબ્રાહમને

મોટા ભાગના બોલીવૂડ સ્ટાર સાઉથની હિન્દી રિમેક કરી રહ્યા છે અને અગાઉ કરી ચુકયા છે. આવી ફિલ્મો સુપરહિટ પણ સાબિત થઇ રહી છે. પણ બોલીવૂડ સ્ટાર જોન અબ્રાહમ આવી ફિલ્મોથી દૂર રહે છે. જોન કહે છે હું હવે સારી કહાની ધરાવતી ફિલ્મોમાં જ કામ કરવા ઇચ્છુ છું. મને અલગ-અલગ ટોપિક પસંદ છે. હું હાલના કબિરસિંહ ટ્રેન્ડને પસંદ કરતો નથી. સાઉથની કોઇપણ સુપરહિટ રિેમેક બનાવી લેવાનું મને પસંદ નથી. જોન અબ્રાહમ દરેક ફિલ્મોમાં પોતાની અલગ-અલગ ભુમિકાઓથી દર્શકોના દિલ જીતી રહ્યો છે અને બોલીવૂડમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરી ચુકયો છે.  તે કહે છે ફિલ્મને લઇને મારા વિચારો ફિલ્મના બજેટ કરતાં વધુ મોટા હોય છે. જોન આગામી ફિલ્મ પાગલપંતિ કરી રહ્યો છે. તો સત્યમેવ જયતે-૨નું કામ પણ શરૂ કરવાનો છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જોન કહે છે હવેથી હું એ વાતનું ખાસ ધ્યાન રાખુ છું કે ફિલ્મની સ્ક્રિપ્ટ ખુબ જ દમદાર અને જબરદસ્ત હોય.

(9:50 am IST)