Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

આશા ભોંસલેનો ૮પ મો જન્મદિવસ... જયારે મોટી બહેન લતા મંગેશકરને આશાએ કહયું 'દીદી તમારા સુર નબળા છે!'

નવી દિલ્હી, તા., ૮: સુરોની મલ્લિકા, બોલીવુડની જાણીતી ગાયીકા આશા ભોંસલે આજે તેમનો ૮૫ મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. આજના દિવસે ૧૯૩૩ માં મહારાષ્ટ્રના એક નાના ગામ સાંગલીમાં જન્મેલી આશા ભોંસલેને કયારે આ વાતનો અંદાજો પણ નહીં હોય કે તેમના અવાજને એક દિવસ આખી દુનિયા સલામ કરશે. કહેવાય છે કે ને, કોઇ પણ ઝાડ ત્યારે મજબુત હોય, જયારે તેમના મૂડ યોગ્ય મજબુત હોય, આશા તાઇની સાથે પણ એવું  જ  થયું  છે. પિતા દીનાનાથ મંગેશકરની ગાયિકા અને સંગીતે આશા તાઇના અંદરના કલાકારને બહાર લાવ્યો. જેમણે શા સ્ત્રીય સંગીતની શિક્ષા ખુબજ નાની ઉંમરે લીધી હતી.

પિતાના મૃત્યુ બાદ આશા પરિવારની સહાયતા કરવા માટે તેમની બહેન લતા મંગેશકર સાથે ગીતો ગાવા લાગી હતી. આશા ભોંસલેએ તેમનું પ્રથમ ગીત ૧૯૪૩ માં ૧૦  વર્ષની ઉંમરે મરાઠી ફિલ્મ 'માઝા બાળા'માં 'ચલા નવ બાળા...' ગાયું હતું. તેમણે ૧૯૪૮માં  હિન્દી ફિલ્મોમાં ગીત ગાવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ આશાએ ૧૫થી વધારે ભાષાઓમાં ગીતો ગાયા છે. આશા ભોંસલે અત્યાર સુધીમાં ૧૨ હજારથી પણ વધારે ગીતોને પોતાનો અવાજ આપી ચુકયા છે. હિન્દી સિનેમાના તેમણે 'ઝુમકા ગીરા રે', 'રાત અકેલી હૈ', 'આજા આજા',  'દમ મારો દમ', 'દિલ ચિઝ કયા હૈ', જેવા ઘણા યાદગાર ગીતો આપ્યા છે. આ ઉપરાંત નેવુંના દાયકામાં 'બાજીગર' 'રંગીલા' અને 'તાલ' જેવી ફિલ્મોમાં એઆર રહેમાન અને અનુ મલ્લીક જેવા સંગીતકાર નિર્દેશકોની સાથે કામ કર્યું છે.

જયારે આશા તાઇએ મોટી બહેનને આપી સુરોની શિખામણ થોડા સમય પહેલા જ આશા ભોંસલે સિંગિંગ રિયાલીટી શો 'દિલ હે હિન્દુસ્તાની'માં ગેસ્ટ બની આવ્યા હતા. જેમાં તેમણે તેમની અને બહેન લતા મંગેશકરની સાથે વિતાવેલા પળોને શેર કર્યો હતા. આશા ભોંસલેએ કહ્યું હતું કે, હું અને દીદી જયારે રેકોર્ડિંગ માટે જતાં ત્યારે સિંપલ અને કોર્ટનની સાડી, હાથમાં કાંચની બંગડીઓ પહેરીને જતા હતા અને પુરૂ ધ્યાન ગીત પર આપતા હતા. દીદી લતા મંગેશકર સાથે જોડાયેલો એક કિસ્સો તેમણે કહ્યો હતો. ૧૦ વર્ષ પહેલા જયારે દીદીએ એક ગીત ગાયું, ત્યારે મેં તેમને કહ્યું હતું કે આ ગીતમાં તમારો અવાજ સારો લાગ્યો નથી. સુર થોડા નબળા લાગી રહ્યા હતા. આ વાત સાંભળી દીદી બોલ્યા હતા કે અચ્છા, એવું? તને વધારે ખબર છે...'બીજા દિવસે લતા દીદી સવારમાં તાનપુરા લઇને રિયાઝ કરવા બેસી ગયા અને ત્યારબાદ તેમણે મને ફરી એ જ ગીત સંભળાવ્યું હતું. તે તેમનું તેમના સંગીતના પ્રતિ સમર્પણ છે. સાથે આશા ભોંસલેએ કહ્યું હતું કે દરેક ગીતકાર માટે રિયાઝ કરવું ખુબ જ જરૂરી હોય છે.

તમને જણાવી દઇએ કે, આશા ભોંસલે અને લતા મંગેશકર વચ્ચે ઘણા મતભેદના સમાચાર ઘણીવાર સામે આવતા હતા. પરંતુ આ બંને બહેનોની વચ્ચે હમેશા એક સમ્મનાનો સંબધ રહ્યો હતો. આશા તાઇને અત્યાર સુધીમાં ફિલ્મ ફેયર એવોર્ડમાં ૭ બેસ્ટ ફિમેલ પ્લેબેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને ૨ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. આશા ભોંસલેને ૨૦૦૮માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટિલ દ્વારા' પદ્મ વિભૂષણ'થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.(૪.૧૧)

(3:55 pm IST)