Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ ''કેદારનાથ 'ની હવે 30મી નવેમ્બરે થશે રિલીઝ:ડેટ પાછી ઠેલાઇ

મુંબઈ :ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મ 'કેદારનાથ' ની રીલીઝ ડેટ પાછી ઠેલાઇ છે હવે આ ફિલ્મ ૩૦ નવેમ્બરે રીલીઝ થશે. કેદારનાથની રાહમાં ઘણી મુશ્કેલી આવી રહી છે. તેની પહેલા આ ફિલ્મનું શૂટિંગ વચ્ચે રોકવામાં આવ્યું હતું. ત્યારબાદ મતભેદોને અવગણી ફરીથી ફિલ્મનું શૂટિંગ શરુ થયું હતું. આ ફિલ્મથી સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારાઅલી ખાન  બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સિવાય સારાઅલીખાન ,રણવીર સિંહની સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા' માં પણ કામ કરી રહી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા' ૨૮ ડિસેમ્બરે રિલીઝ થશે. આ કારણે સારાની ફર્સ્ટ રિલીઝ થનાર ફિલ્મ અભિષેક કપૂરની 'કેદારનાથ' હશે.

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અત્યારે તેની અપકમિંગ ફિલ્મ 'કેદારનાથ' ની તૈયારીમાં વ્યસ્ત છે. સારા આજકાલ આ ફિલ્મના રીડિંગ સેશનમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા આ ફિલ્મની પૂરી ટીમ સાથે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત ડિનર કરવા પહોચ્યા હતા. ફિલ્મ કેદારનાથની સ્ટોરી એક લવ-સ્ટોરી છે જેમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની જોડી નજર આવશે

(7:49 pm IST)