Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ટપ્‍પુનું પાત્ર ભજવતા અભિનેતા ‘રાજ અનડકટે' પણ ‘તારક મહેતા...'ને અલવિદા કહી દીધું

સોશ્‍યલ મીડિયા પોસ્‍ટમાં કર્યો ખુલાસો

મુંબઇ,તા.૨ : ‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા' હંમેશા ઘણા કારણોસર સમાચારમાં રહે છે. તાજેતરમાં ‘મહેતા સાહેબ'નું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ શોમાંથી વિદાય લીધી હતી. છેલ્લાં કેટલાક વર્ષોમાં, શોના ઘણા પાત્રો તેનાથી દૂર થયા છે અને શ્નતારક મહેતાશ્નને અલવિદા કહી દીધું છે. આ જ ક્રમમાં હવે વધુ એક નામ જોડાઈ ગયું છે. ટપ્‍પુનું પાત્ર ભજવતા અભિનેતા ‘રાજ અનડકટે' પણ શોને અલવિદા કહી દીધું છે.

ટપ્‍પુનું પાત્ર ઘણા સમયથી શોમાંથી ગાયબ હતું. અગાઉ એવી એટકળો હતો કે રાજ અનડકટે શો છોડી દીધો છે, પરંતુ હવે અભિનેતાએ આ વાત પર પ્રકાશ પાઠર્યો છે અને મોટો ખુલાસો કર્યો છે. તેણે સ્‍પષ્ટ કર્યું છે કે તે આ શોનો ભાગ નથી અને હવે તે કમબેક કરશે નહીં. રાજે સોશિયલ મીડિયા પર શોમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે

રાજે ઇન્‍સ્‍ટાગ્રામ પર લખ્‍યું છે કે, ‘સૌને નમસ્‍કાર, તમામ પ્રશ્નો અને અટકળોનો અંત લાવવાનો સમય આવી ગયો છે. નીલા ફિલ્‍મ પ્રોડક્‍શન્‍સ અને ‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા' સાથેનું મારું જોડાણ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. શીખવાની, મિત્રો બનાવવાની અને મારી કારકિર્દીના કેટલાક શ્રેષ્ઠ વર્ષો વિતાવવાની આ એક અદ્‌ભુત સફર રહી છે. આ પ્રવાસમાં મને સાથ આપનાર દરેકનો હું આભાર માનું છું - સમગ્ર TMKOC ટીમ, મારા મિત્રો, પરિવાર અને અલબત્ત તમે બધા. દરેક વ્‍યક્‍તિ જેણે શોમાં મારું સ્‍વાગત કર્યું અને મને પ્રેમ કર્યો તેમનો આભાર.'

તેણે આગળ લખ્‍યું છે કે, ‘ટપ્‍પુ' મારા કામ પ્રત્‍યેના પ્રેમે હંમેશા મને મારું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપી છે. હું TMKOCના ટીમને શોના ભવિષ્‍ય માટે ખૂબ ખૂબ શુભેચ્‍છા પાઠવું છું. હું તમારા બધાના મનોરંજન માટે ખૂબ જ જલ્‍દી પાછો આવીશ. તમારો પ્રેમ અને સમર્થન વરસાવતા રહો. 

(10:50 am IST)