Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

મારી અંદર કંગનાની જેમ બેધડક નિવેદન આપવાની ક્ષમતા નથીઃ આલિયા ભટ્ટ

મુંબઈ : કંગના રનૌત થોડા દિવસ પહેલાં રણબીર કપૂર, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પર બહુ ભડકી હતી. તેણે ત્રણેય એક્ટર્સના દેશના રાજકારણ માટે ગેરજવાબદાર અભિગમની બહુ ટીકા કરી હતી. હવે કંગનાની કમેન્ટ પર આલિયા ભટ્ટનું રિએક્શન આવ્યું છે. હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ કહ્યું છે કે ''મારી અંદર કંગનાની જેમ બેધડક નિવેદન આપવાની ક્ષમતા નથી. જોકે કંગનાની નીડરતા માટે મને માન છે. તે એક રીતે સાચી પણ છે. કંગના ખરેખર સારું બોલે છે પણ હું મારા વિચારો મારા સુધી મર્યાદિત રાખવામાં માનું છું.''

હકીકતમાં રણબીરે એક ઇન્ટરવ્યૂમાં પોતાના રાજકારણમાં પ્રવેશ વિશે જવાબ આપ્યો હતો કે મારા ઘરમાં વીજળી છે, પાણી છે...તો પછી મારે રાજકારણમાં જવાની શું જરૂર? રણબીરના નિવેદનની ઝાટકણી કાઢતા કંગનાએ કહ્યું છે કે બહુ દુખદાયક છે કે જે દેશે તેમને સ્ટાર સ્ટેટસ અને બીજું ઘણું આપ્યું છે એના માટે રણબીરના દિલમાં જરા જેટલી પણ દરકાર નથી.

આલિયાની કરિયરની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં તેની ગલી બોય રિલીઝ થઈ હતી જેમાં તેની એક્ટિંગના ભારે વખાણ થયા હતા. વર્ષે આલિયાની બ્રહ્માસ્ત્ર અને કલંક જેવી બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે.

(4:58 pm IST)