Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

શકિત કપૂર બનશે શકુનિ

'રાધાકૃષ્ણ'માં આવી રહેલા નવા ટ્રેક મહાભારતમાં શકુનિનું કેરેકટર બોલીવુડમાં અનેક ફિલ્મોમાં વિલન તરીકે કામ કરનારા શકિત કપૂરને ઓફર થયુ

મુંબઇ,તા.૬ : લોકડાઉન પછી તમામ ટીવી-સિરિયલ જૂની વાર્તા માટે જૂના ટ્રેકનું પેકઅપ કરીને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ કહેવાય એવા ટ્રેક લાવવાનું કામ કરે છે. આ જ કામ શરૂ થયું છે 'રાધાકૃષ્ણ' સ્ટાર ભારતના આ શોમાં હવે કૃષ્ણ-અર્જુન ટ્રેક આવશે, જે છેક મહાભારત સુધી લંબાશે. મહાભારતની આ વાર્તામાં શકુનિ વિના ચાલે નહી એ સૌ કોઈ જાણે છે અને પ્રોડકશન-હાઉસે એટલે જ આ રોલ માટે શકિત કપૂરને ઓફર કરી છે. શકિત કપૂરની આંખોમાં રહેલું કપટ તેને આ રોલ માટે ખેંચી ગયું એવું પણ પ્રોડકશન-હાઉસ કહે છે.

શકિત કપૂર પણ આ ઓફરથી એકસાઇટેડ છે. શકુનિ વિના મહાભારત શકય નહોતું અને એટલે જ શકિત કપૂરને પણ શકુનિ બનવાની વાતમાં રસ જાગ્યો છે.

(3:56 pm IST)