Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ખુબ જ તૈયારી કરી હતી રણવીરસિંહે

રણવીરસિંહની આગામી ફિલ્‍મ જયેશભાઇ જોરદારની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રણવીરસિંહે કહ્યું હતું કે મેં આ ફિલ્‍મના પાત્ર માટે ચાર્લી ચેપ્‍લીનમાંથી પ્રેરણા લીધી હતી. ફિલ્‍મમાં અર્જુન રેડ્ડી ફેઇમ શાલિની પાંડે પણ મુખ્‍ય ભુમિકામાં છે. તે આ ફિલ્‍મથી હિન્‍દી ફિલ્‍મોમાં શરૂઆત કરી રહી છે.  ફિલ્‍મનું નિર્દેશન દિવ્‍યાંગ ઠક્કરે કર્યુ છે. યશરાજ ફિલ્‍મ્‍સની ‘જયેશભાઈ જોરદાર' ૧૩મી મેએ રિલીઝ થવાની છે. ફિલ્‍મમાં રણવીર ગુજરાતી યુવાનનું પાત્ર ભજવી રહ્યો છે. એ પાત્રને સચોટ રીતે ભજવવા માટે રણવીરસિંહે ખુબ જ તૈયારી કરી હતી. તે કહે છે ચાર્લી ચેપ્‍લીનમાં જ એવી અનોખી ક્ષમતા હતી જે દુઃખમાં બધાને હસાવી શકે છે. તેમના જીવનામાં અનેક ઉતાર ચડાવ આવ્‍યા હતાં. પરંતુ તેમણે હમેંશા હસીને સામનો કર્યો હતો. ટ્રેજિક કોમેડી મને ખુબ ઉંડે સુધી ખેંચી જાય છે. આ જ કારણ છે કે લાઇફ ઇઝ બ્‍યુટિફુલ મારી ફેવરિટ ફિલ્‍મ છે.  તકલીફમાં હોય, પરંતુ એ તકલીફને ભુલાવીને અન્‍યોને હસાવવું એ જીવન જીવવાની સુંદર રીત છે.

(10:28 am IST)