Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

અજય બનશે ફૂટબોલ ટીમનો કોચ અને મેનેજર

અજય દેવગણ હાલમાં એક બાયોપિક એક બાયોપિક 'તાનાજી-ધ અનસંગ વોરિયર'નું કામ કરી રહ્યો છે. ત્યાં તેને વધુ એક બાયોપિક ઓફર થઇ છે. નિર્દેશક અમિત શર્માએ ગયા વર્ષે 'બધાઇ હો' જેવી અનોખા વિષયની ફિલ્મ બનાવી હતી અને સુપરહિટ સાબિત થઇ હતી. હવે અમિત સ્પોર્ટસ બાયોપિક બનાવી રહ્યા છે. આ માટે તેણે અજય દેવગણની પસંદગી કરી છે. ૧૯૫૧ થી ૧૯૬૨ વચ્ચે ભારતીય ફૂટબોલ ટીમનો સ્વર્ણિક કાળ હતો. તે વખતે ભારતની નેશનલ ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર તરીકે સૈયદ અબ્દુલ રહિમ હતાં. અજય ફિલ્મમાં આ રોલ નિભાવવાનો છે. અમિતે કહ્યું હતું કે ફિલ્મનું શુટીંગ મે મહિનામાં શરૂ થઇ જશે. આજના સમયમાં દર્શકોને આવી ફિલ્મો ખુબ ગમે છે અને કમાણી પણ સારી થાય છે. અમિત કહે છે સફળ ફિલ્મોની કોઇ વ્યાખ્યા નથી હોતી, સફળ વ્યકિતએ સફળતાને કન્ટ્રોલમાં રાખવી જરૂરી છે.

 

(10:05 am IST)