Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

નાગિન... અનિતા થઇ ગઇ દુઃખી

ટીવી પરદે નાગિનની ભૂમિકા ભજવી રહેલી અનિતા હસનંદાની હાલમાં દુઃખીથઇ ગઇ હતી. તેણે સોશિયલ મિડીયા પર પોતાની અને પતિ રોહિત રેડ્ડીની ફોટોફ્રેમની તૂટેલી તસ્વીર મુકી હતી અને દિલ તૂટી ગયું હોય તેવી ઇમોજી મુકી હતી. તેના ચાહકોએ તેને કહ્યું હતું કે કાચ ફૂટવો એ શુભ સંકેત ગણાય છે. ઘણીવખત કાચ ફુટવાથી આપણા પર આવનારી મુશિબતનો નાશ થાય છે. તો એક યુઝર્સએ લખ્યું હતું કે હમેંશા સકારાત્મક વિચારવું જોઇએ, કદી ઉદાસ થવું જોઇએ નહિ. અનિતા અને રોહિતે વર્ષ ૨૦૧૩માં લવમેરેજ કર્યા છે અને બંને ખુબ જ ખુશ છે. તે અવાર-નવાર વિદેશમાં જઇ રજા ગાળે છે.  અનિતા નાગિન-૩માં વીશ નામનું પાત્ર ભજવી રહી છે. આ શો હવે જલ્દી જ બંધ થશે અને તેની જગ્યાએ એકતાનો શો કવચ-૨ આવશે. જો કે નાગિનની તમામ સિઝનને દર્શકોનો ખુબ આવકાર મળ્યો હોઇ નાગિન-૪ પણ ઝડપથી આવી જાય તેવી શકયતા છે. 

 

(10:07 am IST)