Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

કરણ જોહરના મટે સારા અલી ખાન અને જાહન્વી કપૂરની તુલના કરવી અયોગ્ય

મુંબઈ:ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરે કહ્યું હતું કે સારા અલી ખાન અને જાન્હવી કપૂરની તુલના કરવી યોગ્ય નહીં ગણાય. બંનેના વ્યક્તિત્વ જુદાં છે અને બંનેની પ્રતિભા અલગ છે.રસપ્રદ વાત એ છે કે આ બંને નવોદિતોને પહેલી તક કરણે આપી હતી એમ કહી શકાય. જાન્હવીએ શાહિદ કપૂરના ઓરમાન ભાઇ ઇશાન ખટ્ટર સાથે કરેલી ધડક ફિલ્મ કરણનું સર્જન હતી તેમ સારા અલી ખાને તાજેતરમાં કરેલી રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બા સાથે પણ કરણ સહનિર્માતા તરીકે જોડાયેલા છે. જો કે સારાએ પહેલી ફિલ્મ અભિષેક કપૂરની કેદારનાથ કરી હતી જે એક કરતાં વધુ કારણોથી સતત વિલંબમાં પડતી હોવાથી ચિંતિત થયેલા સૈફ અલી ખાને કરણને વિનંતી કરી હતી કે સારાને તક આપો.કરણે કહ્યું કે દરેક વ્યક્તિમાં કેટલીક ખૂબી અને કેટલીક ખામી હોય છે. તમે બંનેની તુલના કરી શકો નહીં. બંનેના વ્યક્તિત્વ એકબીજાથી તદ્દન અલગ છે. આ બંનેમાં કોણ વધુ એવોર્ડઝ્ મેળવશે એવા સવાલના જવાબમાં કરણે કહ્યું, 'આ બંને યુવતીઓ એકવીસ બાવીસ વર્ષની છે. હજુ કારકિર્દી શરૃ કરી રહી છે. આટલા વહેલા તબક્કે આપણે આ બંનેની તુલના કરીએ એ કોઇ રીતે યોગ્ય નથી. બંને પ્રતિભાવાન છે અને બંને ખૂબ મહેનત કરી રહી છે.  એવોર્ડઝ્નું બહુ મહત્ત્વ નથી. હું તો એમ કહું કે બંને ભલે બધા એવોર્ડ સહિયારા મેળવતી રહે. પરંતુ અત્યારે બંનેની તુલના મને યોગ્ય કે વાજબી લાગતી નથી.

 

(5:09 pm IST)