Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

રણબીર કપૂર સાથેના બ્રેકઅપને લઈને કેટરીના કૈફે કહી આ વાત...

મુંબઈ:કેટરીના ફિલ્મો સિવાય પોતાની લવલાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહેતી હોય છે. તો બીજી બાજું કેટરીનાએ એક ઈંટરવ્યૂમાં રણવીર કપૂર સાથે થયેલા તેમના બ્રેકઅપને લઈને ખુલીને વાત કરી છે. કેટરીનાનાં આ નિવેદન સાંભળી રણવીર કપૂર પણ ચોંકી શકે છે.કેટરીનાએ જણાવ્યું કે, તે બ્રેકઅપ બાદ તે ખુદપર ફોકસ કરી શકે છે. કેટરીનાએ કહ્યું કે, “મેં એક એવા રસ્તાને અપનાવી લીધો હતો જે ખુબ જ અંધકાર ભર્યો હતો. હું સબંધ માંથી બહાર નીકળી કઈ છું અને હું આને એક આશિર્વાદ રૂપ માનું છું, કારણ કે હવે હું મારા પેટર્ન, વિચારો અને વસ્તુંઓને ઓળખવા લાગી છું અને હવે હું મારી લાઈફને અલગ રીતે જોઉં છું.ફિલ્મોની વાત કરીએ તો કેટરીના આ દિવસોમાં પોતાની ફિલ્મ જીરોનાં પ્રમોશનમાં વ્યસ્ત છો. તે સિવાય તે સલમાન ખાનની ફિલ્મમાં અલગ ભૂમિકામાં જોવા મળશે.

(5:07 pm IST)