Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ત્રણ બાબતોને સમજી ગયો છું: અક્ષય કુમાર

અક્ષય કુમારની અગાઉની ફિલ્‍મો ધડાધડ ફલોપ નિવડયા પછી એ નવા કામમાં વળગી ગયો છે. તે સ્‍પષ્‍ટ કહે છે કે પૈસા માટે હું કોઇપણ રોલ કરવા તૈયાર રહુ છું. કારણ કે હું ત્રણ બાબતોને સમજી ગયો છું અને એ છે કામ, કમાણી અને કર્મ. જ્‍યાં સુધી મારાથી થશે ત્‍યાં સુધી કામ કરતો રહીશ. અક્ષય કુમારની ફિલ્‍મ રક્ષાબંધન ૧૧ ઓગષ્‍ટે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્‍મમાં તેની સાથે ભૂમિ પેડનેકર મુખ્‍ય ભુમિકામાં છે. આ ઉપરાંત ચાર નવોદીત કલાકારો પણ જોવા મળશે. આ ચારેય અભિનેત્રી અક્ષય કુમારની બહેનોનો રોલ નિભાવી રહી છે. આનંદ એલ. રાય નિર્દેશીત આ ફિલ્‍મ ઉપરાંત અક્ષય કુમાર સેલ્‍ફીમાં પણ કામ કરી રહ્યો છે. આ ડ્રામા કોમેડીમાં તેની સાથે ઇમરાન હાસમી, ડાયના પેન્‍ટી અને નુસરત ભરૂચા છે. ઉપરાંત તે સુરૈયાની તમિલ ફિલ્‍મની હિન્‍દી રિમેક પણ કરી રહ્યો છે. અક્ષય કહે છે મને મળતાં કોઇપણ કામની હું ના નથી કહેતો. કારણ કે કામ કરવાથી પૈસા મળે છે.

(10:21 am IST)