Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

લોકપ્રિય ભોજપુરી ગીત 'રિંકીયા યા કે પાપા'ના સંગીતકાર ધનંજય મિશ્રાનું નિધન

મુંબઈ: ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત સંગીત નિર્દેશક ધનંજય મિશ્રાનું નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચાર સાથે ભોજપુરી સિનેમામાં શોકનું મોજુ છે. તેમણે અનેક ભોજપુરી ગીતોમાં સંગીત આપ્યું છે. જેના કારણે દરેક લોકોએ ધનંજયના નિધનને ઉદ્યોગ માટે એક મોટું નુકસાન માન્યું છે.અહેવાલો અનુસાર, ધનંજય મિશ્રાની તબિયત અચાનક બગડી ગઈ હતી. જે બાદ તેને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ તેના મૃત્યુના સમાચાર આવ્યા છે. ચોંકાવનારા સમાચાર બાદ ભોજપુરી સિનેમા સાથે સંકળાયેલા લગભગ તમામ સ્ટાર્સે સોશ્યલ મીડિયા દ્વારા પોતાનું દુ: વ્યક્ત કર્યું છે.અભિનેત્રી આમ્રપાલી દુબેએ ધનંજય મિશ્રાની એક તસવીર શેર કરી અને લખ્યું- 'દુઃખદ  અવસાન, ભગવાન તેમના આત્માને આરામ આપે. આપણા જાણીતા સંગીત દિગ્દર્શક અને સારા મિત્ર ધનંજય મિશ્રા જી હવે આપણી વચ્ચે નથી.

(4:46 pm IST)