Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અનન્યાના રોલમાં ફરીથી જમાવટ કરશે મોના સિંહ

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી મોના સિંહનો નવો શો ઓટીટી પ્લેટફોર્મ પર શરૂ થઇ રહ્યો છે. ડિજીટલ શો 'કહેને કો હમસફર હૈ' ઓલ્ટ બાલાજી અને ઝી-ફાઇવ પર આજ ૬ જુનથી રિલીઝ થઇ ચુકયો છે.  મોના સિંહ આ શોની અગાઉની બે સિઝનમાં પણ કામ કરી ચુકી છે. આ શોને દર્શકોએ પસંદ કર્યો હતો. રિલેશનશીપ ડ્રામાના ચાહકો માટે ફરી ત્રીજી સિઝન આવી રહી છે. મોન અનન્યાનું પાત્ર ભજવી રહી છે. જે એક પત્નિ, એક પ્રેમિકા અને એક માતા પણ છે. રોનિત રોય સાથે તેની જોડીને લોકોએ ખુબ પસંદ કરી છે. મોના કહે છે જ્યારે પણ હું આ શોના સેટ પર હોઉ છું મને ખુબ મજા આવે છે. પહેલી અને બીજી સિઝન સમગ્ર કાસ્ટ અને ટીમ માટે ખુબ મજેદાર હતી. ત્રીજી સિઝન મારા માટે થોડી મુશ્કેલ સાબિત થઇ છે. કેમ કે આ વખતે વધુ કામ અને વધુ મહેનત જરૂરી હતાં. મોનાએ કહ્યું હતું કે દિવસમાં મારે વીસ-પચ્ચીસ સીનનું શુટીંગ કરવાનું હતું અને આટલી જ વખત કપડા બદલવાના હતાં. ત્રીજી સીઝન સુપર, ડાર્ક અને યાદગાર બની રહેશે તેનો વિશ્વાસ છે.

 

(9:56 am IST)