Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પોઝિટિવ બાદ અક્ષય કુમારની તબિયત લથડીઃ હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ

મુંબઇ, તા.૫: બોલિવૂડના એકશન સ્ટાર અક્ષય કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટસ અનુસાર કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા બાદ અક્ષય કુમારની હાલત બગડી છે. જણાવામાં આવી રહ્યુ છે કે, અક્ષય કૂમારને પવઈ સ્થિત હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, અક્ષય કૂમાર અથવા તેની ટીમ તરફથી અભિનેતાના હોસ્પિટલમાં દાખલ થવાને લઈને કોઈ પુષ્ટિ કરાઈ નથી.

આ પહેલા અક્ષય કુમારે પોતાના ફેન્સની સાથે કોવિડ-૧૯થી સંક્રમિત થવાના સમાચાર શેર કર્યા હતા, તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ હોમ કવોરન્ટાઈન છે, ફેન્સને અક્ષયે આશ્વાત કર્યું હતું કે તેઓ જલ્દી પરત ફરશે. આ સાથે તેઓ એ પણ તેમને આગ્રહ કર્યું હતું કે છેલ્લા દ્યણા દિવસોમાં તેમના સંપર્કમાં જે પણ લોકો આવેલા હોય તેઓ પોતાનો કોરોનાવાયરસનો ટેસ્ટ કરાવે.

અક્ષય કુમારે તેની પોસ્ટમાં લખ્યું- 'હું દરેકને જાણ કરવા માંગુ છું કે મારો કોવિડ -૧૯ ટેસ્ટ સવારે પોઝિટિવ આવ્યો છે. બધા પ્રોટોકોલને અનુસરીને મેં મારી જાતને અલગ કરી છે. હું હોમ કવોરન્ટાઈન છું અને બધી આવશ્યક આરોગ્ય સંભાળ લઈ રહ્યો છું. હું દરેકને વિનંતી કરું છું કે જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યા છે, તેઓએ તેમનો ટેસ્ટ કરાવે અને પોતાનું ધ્યાન રાખે. ટૂંક સમયમાં એકશનમાં હુ પરત ફરીશ.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે તાજેતરમાં જ જેકલીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા સાથે તેની આગામી ફિલ્મ 'રામ સેતુ'નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક પુરાતત્ત્વવિધ્ની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અક્ષય કુમારે શનિવારે મડ આઇલેન્ડ પર ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝની પુષ્ટિ થયા પછી અક્ષય કુમારને કારણે સોમવારની ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. સૂત્રોના હવાલેથી લખ્યું છે કે ફરીથી ફિલ્મના શૂટિંગ શરૂ થવામાં ઓછામાં ઓછા ૧૩ થી ૧૪ દિવસનો સમય લાગશે.

(12:18 pm IST)