Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

રણબીર કપૂર કેમેરામેનને સીધો સવાલ કર્યો, ચંપલ ક્યાંથી લીધા ?

મુંબઈ : બોલિવૂડનો સુપરસ્ટાર રણબીર કપૂર પોતાના આગવા અંદાજ માટે જાણીતો છે. રણબીર ભાગ્યે જાહેરમાં કમેન્ટ કરતો હોય છે પણ હાલમાં તેણે કોઈ સપનામાં પણ વિચારી શકે એવી હરકત કરી છે.

મુંબઈ એરપોર્ટ પર રણબીરને ક્લિક કરવા પહોંચેલા પાપારાઝીને રણબીરે સીધો સવાલ કર્યો હતો કે તેણે ચંપલ ક્યાંથી લીધા? ફોટોગ્રાફરે જવાબ આપ્યો- અંધેરી સ્ટેશન. વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં રણબીર સામાન્ય રીતે મોંઘી બ્રાન્ડ્સના કપડાં અને શૂઝ પહેરવા માટે જાણીતો છે. તે એક ટી-શર્ટ પાછળ પણ 40,000 રૂપિયા ખર્ચતા વિચારતો નથી. આવામાં તેણે ફોટોગ્રાફરને સ્ટેશન પાસેથી ખરીદેલા ચંપલ અંગે પૂછતા ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.

રણબીરની કરિયરની વાત કરીએ તો હાલમાં બોલિવૂડમાં બાયોપીક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સંજોગોમાં છેલ્લા કેટલાક સમયથી ભારતના ખ્યાતનામ અવકાશ યાત્રી રાકેશ શર્માના જીવન પરથી બનનારી ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. ફિલ્મના લીડ રોલ માટે પહેલી પસંદગી આમિર ખાન હતો. જોકે પોતાના કેટલાક પ્રોજેક્ટને કારણે તેણે ફિલ્મ છોડી દેતા રોલ માટે શાહરૂખ ખાનને પસંદ કરવામાં આવ્યો હતો. જોકે તેણે ફિલ્મ છોડી દેતા ફિલ્મ માટે વિક્કી કૌશલ અને રાજકુમાર રાવને ઓફર કરવામાં આવી હતી. જોકે ફાઇનલ માહિતી પ્રમાણે વિક્કી કૌશલે પણ ફિલ્મમાં રસ દેખાડતા રોલમાં એક્ટર રણબીર કપૂરને સાઇન કરવામાં આવ્યો છે અને તે ફિલ્મ કરવા માટે ઉત્સાહી છે. જોકે વાતને સત્તાવાર સમર્થન નથી મળ્યું.

(4:37 pm IST)