Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

આયુષ્યમાનને બાયોપિક કરવાની ઇય્છા

બોલીવૂડમાં ફિલ્મ વિક્કી ડોનરથી પોતાની કારકિર્દી શરૂ કરનાર અને હાલમાં બોલીવૂડમાં અલગ ઓળખ ઉભી કરનાર અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ કહ્યું હતું કે તેની ઇચ્છા હવે એક બાયોપિક કરવાની છે. આયુષ્યમાન સતત પડકારજનક ભુમિકા નિભાવતો રહે છે. તે અભિનેતા હોવાની સાથો સાથ સારો ગાયક પણ છે. તેને કિશોર કુમાર ખુબ જ પસંદ છે. આયુષ્યમાને કહ્યું હતું કે જો કિશોર કુમારની બાયોપિક બને તો હું એ રોલ ચોક્કસ નિભાવવા ઇચ્છા ધરાવું છું. હું તેના ગીતો સાંભળીને મોટો થયો છું, મને કિશોરદાના અનેક ગીતો આજે મોઢે યાદ છે. આયુષ્યમાનની ફિલ્મ અંધાધૂનના ખુબ વખાણ થયા હતાં. તેના અભિનયને સોૈએ વખાણ્યો હતો. તેમાં તેણે ગીત પણ ગાયુ હતું. અભિનય અને ગાયન માટે તેને અનેક ચાહકો તરફથી શુભેચ્છાઓ મળી હતી. આયુષ્યમાન હવે નવા પ્રોજેકટ પર કામ કરી રહ્યો છે.

(10:04 am IST)