Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જેનિફરનો શો બંધ થઇ જાય તેવી શકયતા

એક શો હિટ થતાં જ બીજી સિઝન બીજી ચાલુ કરવાની ટીવી પર પરંપરા ચાલી રહી છે. પરંતુ બધા શો હિટ નિવડતાં હોતા નથી. અગાઉ જેનિફર વિંગેટનો શો બેહદ ભરપુર લોકપ્રિય અને સુપરહિટ થયો હતો. આ કારણોસર બેહદ-૨માં મુખ્ય રોલ નિભાવવાની તક મળી હતી. પરંતુ બેહદ-૨ને અગાઉના શો જેવી સફળતા મળી નથી. ટીઆરપી મામલે બેહદ-૨ શો સતત પાછળ રહી ગયો છે. આ શોને દર્શકો મળી રહ્યા નથી. આથી હવે તેરમી માર્ચએ આ શોનો છેલ્લો એપિસોડ પ્રસારીત થયા પછી બંધ થઇ જશે તેવી વાત સામે આવી છે. જો કે ટીવી પરથી આ શો બંધ કરી તેને સોની લિવ પર લઇ જવામાં આવશે તેવી પણ વાત છે. ઓટીટી પ્લેટફોર્મ પર જઇને આ શો જોઇ શકાશે. આ કારણે જેનિફર ખુબ નારાજ થઇ ગયાની અને આ કારણે તે શો છોડી દે તેવી પણ શકયતા છે. ડિઝીટલ સ્પેસ પર જવા જેનિફર તૈયાર નથી. જેનિફર જો આ શો છોડી દેશે તો અનેક દર્શકો પણ આ શો જોવાનું બંધ કરશે.

(10:03 am IST)