Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

રડવાથી કંઇ ન વળે, મહેનતથી આગળ વધોઃ કંગના રનોૈત

અભિનેત્રી કંગના રનોૈત પોતાના અભિનયને ઉપરાંત હાજરજવાબી માટે પણ જાણીતી છે. તેની ફિલ્મ મણિકર્ણિકા રિલીઝ થઇ છે અને લોકોને ગમી પણ છે. જો કે રિલીઝ થઇ એ પહેલાથી જ કોઇને કોઇ વિવાદ ઉભા થયા હતાં. છેલ્લે આ ફિલ્મના નિર્દેશક ક્રિશ અને અભિનેત્રી મિષ્ટી ચક્રવર્તીએ કંગના પર આરોપ મુકયા હતાં. ક્રિશે કહ્યું હતું કે કંગનાએ ફિલ્મ હાઇજેક કરી લીધી હતી. તો મિષ્ટીએ પોતાનો રોલ કટ થઇ ગયાની ફરિયાદ કરી હતી. ફિલ્મ રિલીઝ થયા પછી કંગના સ્વિટ્ઝરલેન્ડ જતી રહી હતી. તેણે પરત આવીને કહ્યું હતું કે ક્રિશની વાત ખોટી છે, મણિકર્ણિકાનું નિર્દેશન મેં જ કર્યુ છે. લોકો મારા કામની ઇર્ષ્યા કરી રહ્યા છે. હું આ લોકોને એટલુ જ કહીશ કે હું જે કંઇ છું તે મારા દમ પર છું, મને મારા પિતાએ આ બધુ વારસામાં નથી આપ્યું. અહિ મહેનત થકી જ આગળ વધી શકાય છે, રડવાથી કંઇ મળતું નથી. જે લોકો ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યા છે તેણે મારામાંથી પ્રેરણા લેવી જોઇએ.

(4:23 pm IST)