Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ફિલ્મ 'પૃથ્વીરાજ ચૌહાણ'માં માનુષી છિલ્લર કનોજની રાજકુમારી સંયોગિતાના રોલ ભજવશે

મુંબઈ: અભિનેતા અક્ષયકુમાર અત્યારે સતત વ્યસ્ત અભિનેતાઓમાંનો એક હોવા છતાં તે બેક ટુ બેક ફિલ્મો સાઇન કરી તેનું શૂટિંગ ઝડપથી પૂર્ણ કરી રહ્યો છે. ફિલ્મ સૂર્યવંશી બાદ અભિનેતા હાલ લક્ષ્મી બમ અને બચ્ચન પાંડેની શૂટિંગમાં વ્યસ્ત છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ઐતિહાસિક ફિલ્મમાં લીડ રોલ નિભાવવાની ઓફર અભિનેતાને મળી છે. ફિલ્મ રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. જેમાં વર્ષ ૨૦૧૭માં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર કનોજની રાજકુમારી સંયોગિતાના પાત્રને ન્યાય આપવાની છે.

(6:28 pm IST)