Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ટીવી સિરિયલ 'સંજીવિની-2'માં મળ્યો આરતી બહલને રોલ: 12 વર્ષ પછી કમબેક

મુંબઈ: અભિનેતા મોહનીશ બહલ સ્ટાર પ્લસ પર આવતો શો સંજીવની ટુમાં જોવા મળી રહ્યો છે. આ શોમાં હવે મોહનીશની પત્ની આરતી બહલ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાની છે. આ અગાઉ આરતીએ શો દિલ મિલ ગયેમાં કામ કર્યું હતું. લગભગ બાર વર્ષ બાદ આરતી ટીવી શોમાં કમબેક કરી રહી છે. આરતીએ આ અંગે જણાવ્યું હતું કે સંજીવની ટુ મારા માટે ખૂબ જ વિશેષ છે. મારા મિત્રનો આ શો છે. સિદ્ધાર્થ અને તેની પત્ની સપના મારી સાથે કામ કરવા માગતા હતા પણ મને ખબર નહોતી કે આ આટલું જલદી થશે. હું શોમાં નમિત ખન્ના(ડો.સિદ્ધાર્થ)ની માતાની ભૂમિકામાં જોવા મળવાની છે.

(6:28 pm IST)