Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

આલીયા-રણબીરે લગ્ન કરી લીધા ? : સોશ્યલ મીડીયામાં તસ્વીરો વાયરલ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચા આખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઇ રહી છે હાલમં બન્નેને મુકેશ અંબાણીના ગણપતિ મહોત્સવમાં સાથે જોવા મળ્યા. આ દરમિયાન આલિયા મલ્ટી કલરની સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી. ત્યારે રણબીરે ગ્રે કલરનો પાયજામો અને કૂર્તામાં નજરે પડ્યા. બન્નેએ સાથે પોઝ પણ આપ્યા છે. બન્ને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. તે સિવાય રણબીર અને આલિયાના લગ્નની પણ એક તસવીર સામે આવી છે.

આ તસવીરમાં આલિયા દુલ્હન અને રણબીર વરરાજા છે. બન્નેએ એકબીજાને જયમાલા પહેરાવી છે. આલિયા તસવીરોમાં ખૂબ હસી રહી છે. ત્યારે રણબીર તેને પ્રેમ ભરી નજરથી જોઇ રહ્યો છે. આલિયા અને રણબીરના લગ્નની ચર્ચા દ્યણા સમયથી થઇ રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરોએ લોકોને ચોંકાવી દીધા છે. તો આવો જોઇએ આખરે શુ છે હકીકત..

જોકે, આલિયાએ હાલમાં એક એડ શૂટ કરી છે. આ એડ કપડાની પોપ્યુલર ફેશન બ્રાન્ડ માટે હતી. એડ માટે મહિલા દુલ્હનની જેમ તૈયાર થઇ. આલિયા અને રણબીરની આ તસવીર આ ફોટોશૂટથી લઇને એડિટ કરવામાં આવી છે. માઙ્ખડલની જગ્યાએ રણબીરનો ચહેરો લગાવી દેવામાં આવ્યો છે. હવે આલિયા અને રણબીરનો આ ફોટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

(5:02 pm IST)