Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

સોની સબની સિરીયલ ધર્મયોદ્ધા ગરૃડમાં જાવેદ પઠાણ તારકાસૂર તરીકે પ્રવેશ કરી રહયો છે

(કેતન ખત્રી) અમદાવાદઃ સોની સબ પર ધર્મયોદ્ધા ગરૃડે અને ભગવાન વિષ્ણુનો વાહક બનવાના તેના પ્રવાસની રોચક વાર્તા સાથે દર્શકોને જકડી રાખ્યા છે. આટલું જ નહીં, શોમાં ગરૃડના જીવનમાં ધર્મગ્રંથ, તેનું મહત્વ અને શીખ પર પણ ભાર આપવામાં આવ્યો છે.

તાજેતરમાં ધર્મયોદ્ધા ગરૃડમાં દર્શકોને દેવી દુર્ગા અને તેનાં નવ સ્વરૃપ અસ્તિત્વમાં કઇ રીતે આવ્યા તેની વાર્તા જોવા મળી રહી છે. નવા વળાંકો સાથે દર્શકોને હવે શોમાં તારકાસુરનો પ્રવેશ જોવા મળશે. તારકાસુર ધર્મગ્રંથના મજબૂત અસુર છે. જે ભુમિકા જાવેદ પઠાણ ભજવશે. આ ભુમિકા વિશે રોમાંચિત જાવેદ કહે છે, દર્શકોને પડદા પર તેઓ ભજવે તે પાત્રોથી યાદ કરવામાં આવે તેવું દરેક કલાકારનું સપનું હોય છે અને મેં ધર્મયોદ્ધા ગરૃડમાં મજબૂત નકારાત્મક પાત્ર ભજવવાનો પડકાર ઝીલ્યો છે.(

(3:17 pm IST)