Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

એ સમય કદી ભુલાય તેમ નથીઃ અનિરૂધ્ધ

ટીવી શો પટિયાલા બેબ્સથી જાણીતો બનેલો અનિરૂધ્ધ દવે કોરોનાથી સંક્રમિત થયા બાદ ખુબ લાંબા સમય પછી સાજો થયો હતો. આ વર્ષના આરંભમાં જ તેને કોરોના લાગુ પડ્યો હતો. તે છ મહિના પછી સ્વસ્થ થયો છે. અનિરૂધ્ધ કહે છે હવે હું મારો આત્મવિશ્વાસ પાછો મેળવવા કામે વળગી ગયો છું. જો કે મારા પરિવારના લોકો હજુ પણ હું કામે વળગી જાઉ એવું જરાપણ ઇચ્છતા નહોતાં. હું મારા સંતોષ માટે કામ કરવા ઇચ્છતો હતો. બે મહિના સુધી હું હોસ્પિટલમાં રહ્યો હતો. મહામારીમાંથી બહાર આવતાં બીજા બે મહિના લાગી ગયા હતાં. આ કારણે મારો છ મહિના જેવો સમય વેડફાયો હતો. કોરોનામાંથી બહાર આવવું એ શારીરિક, માનસિક અને બીજી કોઇપણ રીતે ખુબ જ અઘરૂ હોય છે. હું હોસ્પિટલમાં વિતાવેલો એ સમય કદી ભુલી શકું તેમ નથી. એક સમયે હું વીચલીત અને બેચેન થઇ ગયો હતો. હવે મને સમજાયું છે કે રોજીંદી ઘરેડ ઉપરાંત આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઇએ.

(10:17 am IST)