Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

અનુપમા સિરીયલની પાખીના પાત્રમાં રહેલ ઐશ્વર્યા શર્મા રિયલ લાઇફમાં એકદમ હોટઃ વિરાટ સાથે લગ્નના બંધને બંધાશે

બાળપણથી ઐશ્વર્યાને અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્‍યુ હતુ

મુંબઇઃ ટીવી સિરિયલ 'ગમ હૈ કિસીકે પ્યાર મેં'માં લોકોને વિરાટ, પાખી અને સાંઈનો લવ ટ્રાયએન્ગલ ગમે છે. આ ત્રણેયના જીવનમાં આવેલા તોફાનને કારણે આ સીરિયલ ટીઆરપીની યાદીમાં ટોપ 5 માં રહી છે. શોમાં પાખીનું પાત્ર ભજવી રહેલી ઐશ્વર્યાની એક્ટિંગ લોકોને પસંદ છે. સાડી પહેરીને આંસુ વહાવનાર પાખી વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે.

રીલથી અલગ છે રીયલ પાખી

પાખીના રોલને ઐશ્વર્યા શર્મા ખૂબ જ સારી રીતે ભજવ્યો છે, જેના કારણે લોકો તેને એટલી બધી નાપસંદ કરવા લાગ્યા છે કે, તેને હવે સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી રહી છે. ઘણા લોકો તેને રીયલ જીવનમાં પણ મૂર્ખ માનવા લાગ્યા છે. પરંતુ તેની દુનિયા રીલથી એકદમ અલગ છે.

તમામ પ્રકારના આઉટફિટમાં કમ્ફર્ટેબલ છે ઐશ્વર્યા

પાખીના પાત્રમાં, ઐશ્વર્યા હંમેશા સાડીમાં જોવા મળે છે, પરંતુ રીયલ લાઈફમાં તે કોઈપણ પ્રકારની આઉટફિટ પહેરવામાં કન્ફર્ટેબલ છે. ઐશ્વર્યાની તસવીરો જોઈને તમને ખ્યાલ આવશે કે તે કેટલી બિન્દાસ છે.

ટૂંક સમયમાં થશે લગ્ન

શોમાં વિરાટની પાછળ દોડતી પાખી એટલે કે ઐશ્વર્યા શર્મા રીયલ લાઈફમાં વિરાટને તેની પાછળ દોડાવે છે. વિરાટ એટલે કે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમની સગાઈ થઈ ચૂકી છે અને આશા છે કે વર્ષના અંત સુધીમાં તે સાત ફેરા લેશે.

ઐશ્વર્યાની કારકિર્દી

ઐશ્વર્યા શર્મા ઉજ્જૈનની રહેવાસી છે. તેણે શર્મા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ઐશ્વર્યા બાળપણથી અભિનેત્રી બનવા માંગતી હતી. ઐશ્વર્યા અભ્યાસ પૂરો કરીને મુંબઈ આવી હતી. તેને કલર્સ ટીવી શો 'કોડ રેડ'માં પહેલો બ્રેક મળ્યો. આ પછી તે વેબ સિરીઝ 'માધુરી ટોકીઝ'માં જોવા મળી.

શું છે સિરિયલની સ્ટોરી?

ટીવી સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં નીલ ભટ્ટ આઈપીએસ અધિકારી વિરાટ ચવ્હાણની ભૂમિકા ભજવી રહ્યો છે. તો ત્યાં ઐશ્વર્યા શર્મા પત્રલેખા ઉર્ફે પાખીના રોલમાં જોવા મળે છે. શરૂઆતમાં આ બંનેની લવ સ્ટોરી સિરિયલમાં બતાવવામાં આવી હતી પરંતુ બાદમાં પાખી વિરાટના મોટા ભાઈ સમ્રાટ સાથે લગ્ન કરે છે.

પાખી લેશે વિરાટથી બદલો

તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવી રહ્યું છે કે સમ્રાટ પાખીના જીવનમાં પાછો ફર્યો છે. જે બાદ વિરાટે પાખીને સમ્રાટ સાથે નવું જીવન શરૂ કરવાની સલાહ આપી છે. આના પર, પાખી હવે વિરાટથી બદલો લેવા સમ્રાટની નજીક જશે.

(6:56 pm IST)