Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

દિલીપ કુમારના મૃત્યુ બાદ ડિપ્રેશનનો શિકાર બન્યા દિગ્ગ્જ અભિનેત્રી સાયરા બાનુ

મુંબઈ: પીઢ અભિનેત્રી સાયરા બાનુને તાજેતરમાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. તેને હૃદયની સમસ્યા હોવાનું નિદાન થયું છે. ડોક્ટરો એન્જિયોગ્રામ પ્રક્રિયા કરવા માંગતા હતા પરંતુ તેઓએ તેને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. સાયરા બાનુને 28 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ સાથે તેને બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી.

(6:22 pm IST)