Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

દર્શકો ખુશ એટલે હું પણ ખુશઃ બોમન ઇરાની

ભારતમાં મોટે ભાગે મનોરંજન માટે લોકો ક્રિકેટ અને ફિલ્મો તથા ટીવી પર વધુ નિર્ધારીત રહે છે. આ કારણે જ કલાકારોએ સામાજીક રીતે પણ જવાબદાર રહેવુ પડે છે. આ વાત અભિનેતા બોમન ઇરાનીએ કહી હતી. તે એવુ માને છે કે ખુશ રહેવુ અને લોકોને ખુશ રાખવા એ કલાકારો માટે મહત્વનું છે. કેટલાક લોકો કહે છે કે હું અર્થ વગરની ફિલ્મો કરુ છું. પરંતુ જ્યાં સુધી મને ચાહતા દર્શકો ખુશ હશે હું પણ તેમની સાથે ખુશ રહીશ. બોમન હાલમાં નવી ફિલ્મ 'ઝલકી'ની તૈયારમાં છે. આ ફિલ્મમાં બાળશ્રમિકો અને શોષણનો માર્મિક મુદ્દો ઉઠાવાયો છે. આ ફિલ્મમાં તેને નોબલ પુરષ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીનો રોલ નિભાવવાની તક મળી છે. બોમને કહ્યું હતું કે બોલીવૂડના કલાકારોએ ફિલ્મોમાં જ ધ્યાન આપવું જોઇએ, રાજનિતીમાં નહિ.

(9:57 am IST)