Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ખતરો કે ખિલાડીમાં ભાગ નહિ લે સુરભી

રિયાલીટી શો ખતરો કે ખિલાડી-૧૦ ટૂંક સમયમાં જ શરૂ થવાનો છે. આ શોમાં અનેક ટીવી સેલિબ્રિટીઝ ભાગ લઇ રહી છે. જેમાં ઇશ્કબાજમાં અનિકાનો રોલ નિભાવી જાણીતી બનેલી સુરભી ચંદનાને પણ સ્પર્ધક તરીકે આ શોની ઓફર થઇ હતી. જો કે નિર્માતા અને સુરભી વચ્ચે વાત ન જામતા સુરભીનું નામ હાલ કટ થઇ ગયું છે. દસમી સિઝનનું શુટીંગ બુલ્ગેરીયામાં થવાનું છે. સુરભીએ તારીખોને કારણે આ શોમાં પોતે ભાગ લઇ શકે તેમ નહિ હોવાનું કહ્યું હતું. તે હાલમાં સ્ટાર પ્લસના શો સંજીવનીના કામમાં વ્યસ્ત છે. ખતરો કે ખિલાડીની નવી સિઝનમાં કરિશ્મા તન્ના, કવિતા કોૈશિક, કોરિયોગ્રાફર ધર્મેશ, કોમેડિયન બલરાજ સાયલ સહિતના નામ સામેલ છે. સુરભી હાલમાં જે શો કરી રહી છે તેમાં તે ડોકટરના રોલમાં જોવા મળવાની છે.

(10:10 am IST)