Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રાજકુમાર રાવના મતે કંગના રનૌત એક વિચારશીલ અભિનેત્રી છે

મુંબઇ : ટોચના અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે કંગના રનૌત એક વિચારશીલ અભિનેત્રી છે. એ પોતાના કામને ન્યાય આપવા પૂરતો વિચાર કરીને આગળ વધે છે. અગાઉ આ બંને કલાકારોએ કંગના રનૌતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી નાયિકાપ્રધાન ફિલ્મ ક્વીન કરી હતી. એ ફિલ્મ હિટ નીવડી હતી. હાલ આ બંને એકતા કપૂરની સાઇકોલોજિકલ થ્રીલર મેન્ટલ હૈ ક્યા ફિલ્મ કરી રહ્યાં હતાં. રાજકુમાર રાવે કહ્યું હતું કે અમે પહેલી ફિલ્મ ક્વીનથી જ એકમેકના દોસ્ત બની રહ્યા હતા અને આજે પણ અમારી વચ્ચે સારો મનમેળ છે. એની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવતો હોય છે કારણ કે એ વિચારશીલ અભિનેત્રી છે.'એ નિર્ભય છે અને પોતાના દરેક પાત્રને જીવંત કરવા એ પૂરતો વિચાર કરે છે. તમે તનુ વેડ્સ મનુ રિટર્ન્સ ફિલ્મ યાદ કરો. એમાં એણે ખોટા દાંતનું ચોકઠું પહેરવું પડયું હતું અને વાળ એકદમ ટૂંકા કરાવ્યા હતા. કઇ યુવાન મહિલા પરદા પર એવી દેખાવાનું પસંદ કરશે ?કંગનાએ કરી બતાવ્યું' એમ રાવે કહ્યું હતું. હાલ કંગના મેન્ટલ હૈ ક્યા ઉપરાંત મણીકર્ણિકા નામની ફિલ્મ કરી રહી છે જેમાં એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો રોલ કરી રહી છે. રાવે ઉમેર્યું હતું કે કંગના જેવી પ્રતિભાવાન સહકલાકાર હોય ત્યારે અન્ય કલાકારોના કામને પણ પોઝિટિવ અસર થતી હોય છે. આ મારો જાત અનુભવ છે.

 

 

(3:58 pm IST)