Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સંજય દત્તનો એક વિડીયો તાજેતરમાં સામે આવ્‍યો : સંજયદત્ત જેલ લાઇફના અનુભવ જણાવતો જોવા મળે છે : ખાવાપીવાથી લઇ કેવી રીતે કરસત કરો તેનું વર્ણન તેમાં કરાયું છે

મુંબઇ: સંજય દત્તનો એક વિડીયો તાજેતરમાં સામે આવ્‍યો છે. જેમાં સંજય દત્ત જેલ લાઇફના અનુભવ જણાવતો જોવા મળે છે.ખાવા પીવાથી લઇ કેવી રીતે કસરત કરતો તેનું વર્ણન કરાયું છે.

રણબીર કપૂર સ્ટારર સંજય દત્તની બાયોપિકસંજૂટૂંક સમયમાં થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં સંજય દત્તની જિંદગીના દરેક પાસા જોવા મળશે. જોકે, ફિલ્મનું ટીઝર જ્યારથી સામે આવ્યું ત્યારથી લોકોમાં સંજય દત્તની લાઈફ વિશે જાણવાની વધારે ઉત્સુકતા જોવા મળી છે. અનુભવોમાં સંજય દત્તે ખાવાપીવાથી લઈને કેવી રીતે કસરત કરતો હતો તે જણાવ્યું હતું. 1993 બ્લાસ્ટ કેસમાં જ્યારે સંજય દત્ત જેલમાં ગયો હતો ત્યારે તેને લઈ એવું કહેવાતું હતું કે તેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પર સંજય દત્તે જણાવ્યું હતું કે જ્યારે તે જેલમાંથી પરત આવતો હતો ત્યારે તેની સાથે રહેતાં કેદીઓની આંખમાં આંસુ હતાં. દરેકે સાથે મળીને સારો સમય પસાર કર્યો હતો. સંજય દત્ત જેલમાં રેડિયો જોકીનું કામ કરતો હતો. ઉપરાંત સંજય દત્તે જણાવ્યું હતું કે જેલમાં પહેલા મહિના સુધી તે ઉદાસ રહ્યો હતો. જોકે, ત્યારબાદ તેણે નક્કી કર્યું હતું કે જ્યારે તે જેલમાંથી બહાર નીકળશે ત્યારે એવો થઈને આવશે કે લોકો તેને જોતાં રહી જશે. જેલમાં સંજય દત્ત રોજ નિયમિત કસરત કરતો હતો. સંજય દત્ત પોતાના યાર્ડમાં એકથી દોઢ કલાક રનિંગ કરતો હતો. ઉપરાંત ડંબેલ્સ હોવાના લીધે તે પાણીની બાલટીઓ ભરીને કસરત કરતો હતો. સંજય દત્તે એવું જણાવ્યું હતું કે જેલમાં તેને એવું શાક મળતું હતું. જે ગધેડાને આપવામાં આવે તો તે પણ ના ખાય. આથી તેને આવું શાક ખાવું પડતું હતું. શાકનું નામ રાજગીરા હતું. સંજય દત્તે જણાવ્યું હતું કે,’ શાકમાં કીડાઓ હતાં જેને તે પ્રોટીન તરીકે ખાઈ લેતો હતો.’ તે મજાકમાં એવું પણ કહેતા જોવા મળે છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો જેલમાં જતાં રહો. સંજય દત્તે એવું પણ જણાવ્યું હતું કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હોવાના કારણે મારા પર વધારે સ્ટ્રીક્ટ રાખવામાં આવતું હતું. મારા પેરેન્ટ્સ મોટા માણસો હતાં. કારણે વધારે નજર રાખવામાં આવતી હતી. મને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે તે વાત તદ્દન ખોટી હતી.

(12:22 am IST)