Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ટીવી સિરીયલમાં સુહાગરાતના દ્રશ્ય માટે શ્વેતાની ના

હિન્દી ફિલ્મોની જેમ હવે ટીવી સિરીયલોમાં પણ અંતરંગ દ્રશ્યોનું ચલણ થઇ પડ્યું છે. જો કે અમુક કલાકારો આવા સિન કરવાની ના પણ પાડી દેતાં હોય છે. આવા કલાકારોમાં 'જય કન્હેયા લાલ કી' શોની અભિનેત્રી શ્વેતા ભટ્ટાચાર્યનું નામ પણ જોડાઇ ગયું છે. શ્વેતાને સાથી કલાકાર વિશાલ વશિષ્ઠ સાથે સુહાગરાતના દ્રશ્યનું શુટીંગ કરવાનું હતું. પરંતુ તેણે આ સિન માટે ના કહી દીધી હતી. તેનાકોન્ટ્રાકટમાં જ લખ્યું હતું કે તે અંતરંગ દ્રશ્યો નહિ કરે અને સ્લીવલેસ કે ટૂંકા કપડા નહિ પહેરે. આ કારણે નિર્માતાઓને સુહાગરાતના દ્રશ્યોને હટાવવાની ફરજ પડી હતી. શ્વેતાએ કહ્યું હતું કે આજના સમયમાં ટીવી પરદે ઇન્ટિીમેટ સિન સામાન્ય બાબત છે, પરંતુ હું આવા દ્રશ્ય માટે જરાપણ સહજ નથી. જે બંગાળી શો પરથી આ શો બનાવાયો છે તેમાં પણ આવા કોઇ સિન નહોતાં, તો આમાં શું જરૂર છે? શ્વેતાએ કહ્યું હતું હું સ્લીવલેસ કપડા પણ પહેરતી નથી.

(9:26 am IST)